Lose Weight with Ayurveda - વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ 9 આયુર્વેદિક ઘરેલું ઉપાયો..॥

લોકો વજન ઘટાડવા માટે ઘણા નુસખા અપનાવતા હોય છે અને એમાથી ઘણી વખત અમુક ઉપાયો કામ કરે, અને એવું પણ બને કે ફાયદો થવાને બદલે શરીર ને નુકશાન પણ પહોંચી શકે.

લોકો વજન ઘટાડવા માટે ઘણા અલગ અલગ નુસખા અપનાવતા હોય છે અને એમાથી ઘણી વખત અમુક ઉપાયો કામ કરે પણ ખરા કે ન પણ કરે , કદાચ એવું પણ બને કે ફાયદો થવાને બદલે શરીર ને નુકશાન પણ પહોંચી શકે છે. આથી આપણે એવી રીતો જોઈએ કે જેનાથી ઘરગથ્થુ ઉપાયો દ્વારા જ વજન ઘટાડી શકાય. 

Loss-Weight-with-Ayurveda-વજન-ઘટાડવા-માટે-શ્રેષ્ઠ-આયુર્વેદિક-ઘરેલું-ઉપાયો

વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ 9 આયુર્વેદિક ઘરેલું ઉપાયો

  1. અરણીના મૂળનો ઉકાળો શીલાજીત સાથે સવાર - સાંજ પીવાથી અથવા ત્રણ ચમચી જેટલો એના પાનનો રસ પીવાથી ચરબી ઘટી જવાથી વજન ઓછું થઈ જાય છે .

  2. વજન ઘટાડવા ઘઉંને બદલે જવનો ઉપયોગ કરવો .

  3. દરરોજ એક પાકા લીંબુના રસમાં ૬૦ ગ્રામ મધ મેળવી ચાટવાથી વજન ઊતરે છે .

  4. ૨૫ ગ્રામ લીંબુનો રસ અને ૨૫ ગ્રામ મધ ૨૦૦ મિ.લિ. સહેજ ગરમ પાણીમાં ભોજન બાદ તરત જ પીવાથી એક - બે માસમાં શરીરમાં મેદની ઉત્પત્તિ બંધ થાય છે અને વધેલો મેદ ઓછો થાય છે .

  5. માત્ર મીઠું નાખેલું ચોખાનું ગરમ ગરમ ઓસામણ જેટલું ખાઈ શકાય તેટલું દરરોજ ખાવાથી વજન ઉતરી જાય છે .

  6. એક મહિના સુધી ત્રિફળા ગૂગળ અથવા મેદોહર ગૂગળની બબ્બે ગોળી ભૂકો કરી સવાર - સાંજ લેવાથી અને રોજ રાત્રે સૂતી વખતે અડધીથી એક ચમચી ત્રિફળા ચૂર્ણ અથવા હરડે ચૂર્ણ લેવાથી તેમજ સવાર - સાંજ એક કિલોમીટર ઝડપથી ચાલવું , ભૂખ લાગે તેનાથી ઓછું જમવું , અને મગ - ભાત અથવા મગની દાળ અને ભાત જ ખાવાથી મહિને પાંચથી છ કિલો વજન ધટે છે . જેટલું વજન ઘટાડવું હોય ત્યાં સુધી આ પ્રમાણે જ રહેવું .

  7. નિયમિત રૂપે ગરમાગરમ સૂપ પીવાથી વજન ઉતારવાના કાર્યક્રમમાં ચમત્કારિક સફળતા મળે છે .

  8. સ્ત્રીઓને ર૨૦૦ અને પુરષોને ૨૫૦૦ કેલેરી ખોરાકની જરૂર પડે . એનાથી વધારાના ખોરાકની ચરબી બને છે , જેથી વજન વધે છે .

  9. દરરોજ સવાર - સાંજ ભોજન બાદ એક મોટા ગ્લાસ હૂંફાળા પાણીમાં એક આખું લીંબુ નીચોવી ધીમે ધીમે પી જવાથી શરીરનું વજન ઓછું થવા લાગે છે


તમે આવી દરરોજ આયુર્વેદિક ટીપ્સ અને માહિતી માટે અમારી ટેલેગ્રામ ચેનલ જોઈન કરી  શકો છો જેથી તમને દરેક માહિતી આસાનીથી મળતી રહે.