વેઇટ લોસ ડ્રીંક : દરરોજ સવારે ખાલી પેટ આ ડ્રીંક પીવાનું શરૂ કરો, પેટની ચરબી ઝડપથી ઓગળવા લાગશે.

વેઇટ લોસ ડ્રીંક : દરરોજ સવારે ખાલી પેટ આ ડ્રીંક પીવાનું શરૂ કરો, પેટની ચરબી ઝડપથી ઓગળવા લાગશે.

આ દોડધામભરી જિંદગીમાં લોકો ઝડપથી સ્થૂળતાનો શિકાર બને છે. હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે સ્થૂળતા આપણને અનેક ગંભીર બીમારીઓનો શિકાર બનાવી શકે છે. જો તેના પર સમયસર કાબૂ ન કરવામાં આવે તો સમસ્યા વધી જાય છે. જો કે વજન ઘટાડવું કોઈ પડકારથી ઓછું નથી. કેટલાક લોકો આ માટે જીમમાં ખૂબ મહેનત કરે છે, જ્યારે કેટલાક સીધા ડૉક્ટર પાસે જાય છે. આ બધા સિવાય અમે તમારા માટે એક એવા ડ્રિંક વિશે માહિતી આપી રહ્યા છીએ, જે તમને વજન ઘટાડવામાં ઘણી હદ સુધી મદદ કરી શકે છે.

આયુર્વેદિક ડ્રીંક જેના વિશે અમે તમને માહિતી આપી રહ્યા છીએ, એ અજમો અને જીરામાંથી તૈયાર કરવામાં આવે છે. જીરું અને અજમો બંનેમાં એવા કેટલાક તત્વો જોવા મળે છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ છે. તમે થોડા અઠવાડિયામાં ચોક્કસપણે વજન ઘટાડી શકો છો.

સ્થૂળતા આ રોગોનું જોખમ વધારે છે

હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશર, યુરિક એસિડ અને ડાયાબિટીસ જેવા ખતરનાક રોગોનું જોખમ વધારે છે. આ જ કારણ છે કે સમયસર વજનને કાબૂમાં કરવું જોઈએ.

આ રીતે ડ્રીંક તૈયાર કરો.

  • સૌથી પહેલા એક - એક ચમચી જીરું અને વરિયાળી સમાન માત્રામાં લો.
  • હવે તમારે એક ચમચી સોડા અને એક ચમચી અજમાની જરૂર પડશે. 
  • પછી એક વાસણમાં 2 ગ્લાસ પાણી ઉકાળો.
  • હવે તેમાં જીરું, સોડા, વરિયાળી અને અજમો નાંખો.
  • જ્યારે તે સારી રીતે ઉકળી જાય અને વાસણમાં અડધું વધે પછી તેમાં મધ ઉમેરો.
  • પીણાંને ગાળી હુંફાળું થાય એટલે પીવું.
  • સવારે ઉઠીને ખાલી પેટ આ પીણાનું સેવન કરી શકો છો.

જીરું-અજમો વજન ઘટાડવામાં કેવી રીતે અસરકારક છે?

જીરામાં એન્ટી-ઇન્ફલામેટ્રી અને એન્ટિબાયોટિક તત્વો મળી આવે છે, જે શરીરમાંથી સૂજન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. આ સાથે તેમાં જોવા મળતા તત્વો કોલેસ્ટ્રોલ લેવલને પણ કંટ્રોલ કરે છે, જેનાથી મેદસ્વિતાનો ખતરો ઓછો થાય છે. સાથે સાથે અજમામાં આયર્ન, કેલ્શિયમ, ફાઈબર, ફોસ્ફરસ ઉપરાંત, અન્ય ઘણા પોષક તત્વો હોય છે, જે એકંદરે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. અજમો એક ઓછી કેલરીવાળો ખોરાક છે, જે વજન ઘટાડવામાં મદદ કરશે. તેમાં રહેલા તત્વો મેટાબોલિક રેટ ને મજબૂત બનાવે છે.

*અહીં આપેલી માહિતી કોઈપણ તબીબી સલાહનો વિકલ્પ નથી. તે તમને જાણકારી માટે જ આપવામાં આવી છે.